 | ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓના વેપારી (નિયમન) આદેશ-૧૯૭૭ ગુજરાત આવશ્યક ચીજવસ્તુ વેપારી ( નિયમન) હુકમ-૧૯૭૭ની મહત્વની જોગવાઈઓ - અધિનિયમ-૧૯૫૫ હેઠળ જાહેર કરેલ ચીજવસ્તુઓ કે જે પરવાના હેઠળ મિયંત્રિત કરેલ નથી તેવી ચીજવસ્તુઓના વેપાર ઉપર નિયમન રાખી શકાય તે માટે રાજ્ય સરકારે આ હુકમ બહાર પાડેલ છે.
- આ હુકમની જોગવાઇઓ અનુસાર ધંધાના/વેપારના સ્થળે રોજે-રોજના આવશ્યક ચીજવસુઓનો ઉઘડતો જથ્થો તથા તેના ભાવ પ્રદર્શિત કરવા ફરજીયાત છે.
- પ્રદર્શિત કરેલ ભાવથી વધુ ભાવે વેચાણ કરવું નહીં.
- સટ્ટૉ ન કરવા કે હાજર હોય તેવી ચીજવસ્તુઓ વેચવાની ના પાડવી નહીં.
- ગ્રાહકોને બે પ્રતમાં બિલ બનાવી બીલ આપવું( રૂ. ૧૦૦/- સુધી ગ્રાહક માંગે તો)ચીજવસ્તુના વેચાણ અંગે વેચાણબીલ આપવું.
- આવશ્યક ચીજવસ્તુઓના ખરીદ-વેચાણ-બંધ જથ્થાના હિસાબો દર્શાવતું સ્ટોકપત્રક રાખવું.
- આવશ્યક ચીજવસ્તુઓના વેપાર, સંગ્રહ, સ્ટોક જાળવણી, ભાવો અને તોલમાપ સબંધી જરૂરી આદેશો કરવાની સત્તા રાજ્ય સરકારને છે.
- આ હુકમ હેઠળ વેપાર સંબંધી તપાસો કરવા સપ્લાય ઇન્સ્પેક્ટર, નાયબ મામલતદાર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી ઉતરતી કક્ષાના ન હોય તેવા અધિકારીઓને સત્તાઓ એનાયત કરવામાં આવેલ છે.
ક્રમ | વિગત | ડાઉનલોડ |
---|
૧ | આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ | (1.21 MB) |
|  |
|  |
|